રક્ષા બંધન પર્વનો મહિમા અને રાખડી બાંધવાની સાચી રીત.

આજે આપણે જાણીશું કે…

રક્ષા બંધન પર્વનો મહિમા અને રાખડી બાંધવાની સાચી રીત.

રક્ષાબંધનના પર્વને ‘નાળિયેરી પૂનમ’ તરીકે પણ માનવામાં આવે છે. શ્રાવણનાં દોઢ મહિના પછી વરસાદનું જોર ઘટતાં, આ પવિત્ર પૂનમે સાગરખેડુઓ દરિયા દેવને નાળિયેરી અર્પણ કરીને પૂજા કર્યા બાદ સાગર ખેડવાની શરૂઆત કરે છે.

ચા તુર્માસ એટલે કે તેમાં આવતા શ્રાવણ તહેવારો અને પર્વોનો પાવનકારી માસ. આમાય પવિત્ર શ્રવણની પૂર્ણિમા, એટલે ભાઈ-બહેનનાં મધુર અને સ્નેહભર્યા પાવનકારી પર્વ-રક્ષાબંધન. આપણા પ્રાચીનકાળનાં ઋષિઓએ પુરાવા રુપે જણાવ્યું છે કે,

‘ યા દેવી સર્વભૂતેષુ માતરુપૈણ.. ભગિની રુપૈણ સંસ્થિતા : નમસ્તૈસ્ય નમો નમ :

સદીઓથી આ દેશમાં શ્રાવણી પૂનમનું રક્ષાબંધનનું પર્વ શ્રદ્ધાભાવ પૂર્વક ઉજવાતું આવ્યું છે જે આ એક માત્ર ભાઈ બીજ પછી ભાઈ બહેનનાં નિર્મળ, શુધ્ધ સ્નેહભાવ ઉજાગર કરે છે.

પરંપરા કયારથી શરૂ થઈ.???

આવા અદ્ભુત તહેવાર ઉજવવાની પરંપરા કયારથી શરૂ થઈ. આ વિષે વિદ્વાનોમાં ઘણા જ મર્તમતાંતર તથા તર્ક-વિર્તકો પ્રવર્તે છે. પૂરાણોમાં તો આ અંગે અનેક કથાઓ જોવા મળે છે. એક સામાન્ય મત અનુસાર ‘બળેવ’નો પ્રારંભ વૈદિકકાળમાં થયો હતો.

વૈદિક કાળમાં ‘બળેવ’નું પર્વ આ પ્રમાણે ઉજવાતું હતું. શ્રાવણી પૂનમનાં પ્રભાવે પરિવારની મુખ્ય વ્યક્તિ સ્નાનાદિથી શુધ્ધ થઈને વેદજ્ઞા બ્રાહ્મણ પાસે માટીનાં ‘રક્ષાકળશ’નું સ્થાપન કરાવીને તેનું પૂજન- અર્ચન થતું.

આ કળશ ઉપર સૂતરનાં હળદરનાં પીળા રંગે રંગાયેલી ચોખાની પોટલી મૂકવામાં આવતી. રક્ષામંત્રથી અભિષ્ઠિત કરવામાં આવતો. ત્યાર પછી તેને પીળાવસ્ત્રોમાં ચોખાના દાણા મૂકીને ગાંઠ બાંધવામાં આળતી.

જે ‘રક્ષાસૂત્ર’ કહેવાયું. આ ‘રક્ષાસૂત્ર’ને વેદજ્ઞા બ્રાહ્મણ પરિવારનાં દરેક સભ્યનાં જમણા હાથને કાંડે બાંધીને મંત્રનું ઉચ્ચારણ કરે છે, જેમકે

‘પેન બદ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ

તૈન ત્વામનું બધ્રામિ રક્ષે મા ચલ મા ચલ,

ભગવાન વિષ્ણુએ જ્યારે બલિરાજા પાતાળમાં જઈ રહ્યા હતા ત્યારે તેમને રક્ષાસૂત્ર બાંધી દીધા પછી ધર્મનું જ્ઞાાન આપ્યું,

આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે, પુરોહિત જેમને રક્ષા બાંધે છે, તેમની બલિરાજાની જેમ રક્ષા થાય છે. આ રક્ષા જે પ્રમાણે બલિરાજાનાં કાંડા પર અચલ રહી હતી. એવી રીતે યજમાન કાંડા પર રહીને તેમનું રક્ષણ કરજે.

બલિ શબ્દ પરથી બળેવ શબ્દ બન્યો. આને લીધે આજે પણ માંગલિક કાર્યોમાં, મીંઢળ, રક્ષાસૂત્ર, રાખડી યંજમાન હાથે બંધાય છે.

રક્ષાબંધનના પર્વને ‘નાળિયેરી પૂનમ’ તરીકે પણ માનવામાં આવે છે. શ્રાવણનાં દોઢ મહિના પછી વરસાદનું જોર ઘટતાં, આ પવિત્ર પૂનમે સાગરખેડુઓ દરિયા દેવને નાળિયેરી અર્પણ કરીને પૂજા કર્યા બાદ સાગર ખેડવાની શરૂઆત કરે છે.

રાખડી બાંધવા માટે મુહૂર્ત:

રાખડી બાંધવાનો શુભ સમય 

તા.૧૧/૮/૨૦૨૨ ગુરુવાર

સવારે ૧૧:૧૦ થી ૧:૧૦

બપોરે ૨:૩૦ થી ૪

સાંજે ૫:૪૫ થી ૮:૩૦

raksha bandhan

રક્ષાબંધનનાં રક્ષાસૂત્રથી ભાઈ માટે બહેનનો પ્રેમ અને બહેન માટે ભાઈનો પ્રેમ એક બીજા માટે પ્રાણવાયુ સમાન બનીને દીપી ઉઠે છે.

 થાળીમાં કઈ-કઈ 7 વસ્તુઓ હોવી જોઈએ અહીં જાણો

1. કંકુ
કોઈ પણ શુભ કામની શરૂઆત કંકુના ચાંદલા લગાવી કરાય છે. આ પરંપરા બહુ જૂની છે. અને આજે પણ એનું પાલન કરાય છે. ચાંદલા માન-સન્માન ના પણ પ્રતીક છે. બહેન ચાંદલો કરી ભાઈના પ્રત્યે સન્માન પ્રકટ કરે છે. સાથે એમના ભાઈના માથા પર તિલક લગાવીને એમની લાંબી ઉમ્રની કામના પણ કરે છે. આથી થાળીમાં કંકુ ખાસ રીતે રાખવું જોઈએ.

2. ચોખા
ચાંદલા ઉપર ચોખા પણ લગાવાય છે. ચોખાને અક્ષત કહે છે.એનું અર્થ છે કે જે અધૂરો ન હોય . ચાંદલા પર ચોખા લગાડવાનું ભાવ આ છે કે ભાઈના જીવન પર ચાંદલા ના શુભ અસર હમેશા બન્યું રહે. ચોખા શુક્ર ગ્રહથી સંબંધિત છે.શુક્ર ગ્રહના પ્રભાવથી જ જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓની પ્રાપ્તિ થાય છે.

3. નારિયેળ
બેન ભાઈને ચાંદલા કર્યા પછી હાથમાં નારિયેળ આપે છે. નારિયેળને શ્રીફળ પણ કહેવાય છે. શ્રી એટલે કે દેવી લક્ષ્મીના ફળ. આ સુખ સમૃદ્ધિનું પ્રતીક છે. બેન ભાઈને નારિયેળ આપી આ કામના કરે છે કે ભાઈના જીવનમાં સુખ અને સમૃદ્ધિ હમેશા બની રહે છે અને એ સતત ઉન્નતિ કરે છે.

4. રક્ષા સૂત્ર(રાખડી)
રક્ષાસૂત્ર બાંધવા થી ત્રિદોષ શાંત થાય છે. ત્રિદોષ એટલે વાત, પિત અને કફ . અમારા શરીરમાં કોઈ રોગ આ દોષોથી જ સંબંધિત હોય છે. રક્ષાસૂત્ર કળાઈ પર બાંધવાથી શરીરમાં આ ત્રણ નું સંતુલબ બન્યું રહે છે. આ દોરા બાંધવાથી કલાઈની નસ પર દબાણ બને છે. જેનાથી આ ત્રણ દોષ નિયંત્રિત રહે છે. રક્ષાસૂત્રનું અર્થ છે , એ સૂત્ર જે અમારા શરીરની રક્ષા કરે છે. રાખડી બાંધવાન આ એક મનોવૈજ્ઞાનિક કારણ આ છે કે બેન રાખડી બાંધીને એમના ભાઈથીઉમ્ર ભર રક્ષા કરવાના વચન લે છે. ભાઈને પણ આ રક્ષાસૂત્ર એ વાતના અનુભવ કરાવતું રહે છે કે , એમને હમેશા બેનની રક્ષા કરવી છે

5. મિઠાઈ– ભાઈને રાખડી બાંધી મોઢામાં મિઠાઈથી મોઢું મીઠા કરાવવુ પણ જરૂરી છે.

6. દીપક
રાખડી બાંધ્યા બાદ બેન દીપક પ્રગટાવીને ભાઈની આરતી પણ ઉતારે છે. આ સંબંધમાં માન્યતા છે કે આરતી ઉતારવાથી બધા પ્રકારની ખરાબ નજર થી ભાઈની રક્ષા થઈ જાય છે. આરતી ઉતારીને બેન કામના કરે છે કે ભાઈ હમેશા સ્વસ્થ અને સુખી રહે.

7. પાણીથી ભરેલું કળશ
રાખડીની થાળીમાં જળ થી ભરેલું કળશ પણ રખાય છે. આ જળને કંકુ મિક્સ કરી ચાંદલો કરાય છે. દરેક શુભ કામની શરૂઆતમાં જળથી ભરેલું કળશ રખાય છે જે આ કળશ વધા પવિત્ર તીર્થો અને દેવી દેવતાઓ ના વાસ હોય છે. આ કળશના પ્રભાવથી ભાઈ બેન ના જીવનમાં સુખ અને સ્નેહ હમેશા બન્યું રહે છે.

આ રીતે ઉજવાય છે રક્ષાબંધન

– રક્ષાબંધનના દિવસે બહેનો રાખડી બાંધતા પહેલા પોતાના ભાઈને તિલક લગાવે છે.
– ત્યારબાદ ભાઈના એક હાથમાં નારિયળ આપે છે
– બહેનો પોતાના ભાઈઓના હાથ પર રાખડી બાંધે છે અને તેની નજર ઉતારે છે. (સોપારી અને સિક્કો કે સોનાની વસ્તુ માથા પરથી ઉતારવી)
– ત્યારબાદ તે પોતાના ભાઈઓની આરતી ઉતારતા તેમના લાંબી ઉમ્રની કામના કરે છે.
– અંતમાં બહેનો ભાઈઓને મીઠાઈ ખવડાવીને તેમનુ મોઢુ મીઠુ કરે છે.

આ મંત્રના જાપ સાથે બાંધો રાખડી

ભાઈઓને રાખડી બાંધતી વખતે બહેનોએ આ મંત્રનુ ઉચ્ચારણ કરી શકે છે.

येन बद्धो बली राजा दानवेन्द्रो महाबल:।
तेन त्वां अभिबन्धामि रक्षे मा चल मा चल।

જેનો અર્થ છે જે રક્ષાસૂત્રથી મહાન શક્તિશાળી દાનવેન્દ્ર રાજા બલિને બાંધવામાં આવ્યો હતો એ રક્ષાસૂત્ર હુ તને બાંધુ છુ.. જે તારી રક્ષા કરશે .. હે રક્ષે…

ભાઈના હાથ પર રક્ષાસૂત્ર બાંધતી વખતે બહેને પૂર્વ દિશામાં મોઢી કરીને ભાઈના માથા પર તિલક લગાવવુ. ચોખા લગાવીને આ મંત્રનુ ઉચ્ચારણ કરવુ. અને ત્યારબાદ જમણા હાથમાં રાખડી બાંધવી.

જેનો અર્થ છે જે રક્ષાસૂત્રથી મહાન શક્તિશાળી દાનવેન્દ્ર રાજા બલિને બાંધવામાં આવ્યો હતો એ રક્ષાસૂત્ર હુ તને બાંધુ છુ.. જે તારી રક્ષા કરશે .. હે રક્ષે…

ભાઈના હાથ પર રક્ષાસૂત્ર બાંધતી વખતે બહેને પૂર્વ દિશામાં મોઢી કરીને ભાઈના માથા પર તિલક લગાવવુ. ચોખા લગાવીને આ મંત્રનુ ઉચ્ચારણ કરવુ. અને ત્યારબાદ જમણા હાથમાં રાખડી બાંધવી.


આવી બીજી રોચક જાણકારી માટે click કરો..

તમારા સ્વાસ્થ સંબંધી માહિતી 

બીજી દેશ દુનિયાની અજાણી હકિકતો અને સત્યો જાણો.

Leave a Comment